Posts

Showing posts from April, 2024

Navsari :Election 2024 awareness programs were held under the guidance of Navsari District Election Officer.

Navsari :Election 2024 awareness programs were held under the guidance of Navsari District Election Officer. આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ નવસારી જિલ્લા ચૂંટણી તંત્રની ટીમ માર્કેટ અને જાહેર સ્થળોએ જઈને પોસ્ટરો લગાવીને મતદાન કરવા માટે મતદારોને જાગૃત કરી રહી છે. ભૂલાય નહિ તા.07 મે ના રોજ અવશ્ય મતદાન કરજો. #Election2024 #NoVoterToBeLeftBehind #ElectionAwareness @CEOGujarat @ECISVEEP pic.twitter.com/Ru5B8TDvsZ — Collector & DM Navsari (@CollectorNav) April 28, 2024 આગામી લો.સા.ચૂં. અંતર્ગત જિલ્લામાં આજરોજ Know Your Polling Station અભિયાનમાં મતદારોને BLOશ્રી દ્વારા મતદારયાદીમાં નામ,ક્રમ, મતદાન માટે વૈકલ્પિક પુરાવા અને મતદાન મથકની જાણકારી વિ..જેવી માહિતી આપવામાં આવી. #LokSabhaElection2024 #KnowYourPollingStation #KYPS @ECISVEEP @CEOGujarat pic.twitter.com/VZyk2HffGx — Collector & DM Navsari (@CollectorNav) April 28, 2024 આજે તા. ૨૮/૦૪/૨૦૨૪ના દિને ૧૭૬-ગણદેવી(અ.જ.જા.) વિ.સ.મ.વિ. ની તમામ શાળાઓમાં KYPS (Know Your Polling Station) - "તમારા મતદાન મથકને જાણો&quo

Navsari(chikhli) News :૮૫ + અને દિવ્યાંગ મતદારોનુંં મતદાન મે.કલેેેેકટર સાહેબ,નવસારી અને ચૂંટણી અધિકારી ૨૫-નવસારી લોકસભાના માર્ગદર્શન હેઠળ કરાવવામાં આવ્યું.

Image
Navsari(chikhli) News :૮૫ + અને દિવ્યાંગ મતદારોનુંં મતદાન મે.કલેેેેકટર સાહેબ,નવસારી અને ચૂંટણી અધિકારી ૨૫-નવસારી લોકસભાના માર્ગદર્શન હેઠળ કરાવવામાં આવ્યું. આજ રોજ ૨૫-નવસારી લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૧૭૬- ગણદેવી (અ.જ.જા.) વિધાનસભામાં ૫ ટીમ બનાવીને ૮૫ + અને દિવ્યાંગ મતદારોનુંં મતદાન મે.કલેેેેકટર સાહેબ,નવસારી અને ચૂંટણી અધિકારી ૨૫-નવસારી લોકસભાના માર્ગ દર્શન હેઠળ કરાવવામાં આવ્યું. pic.twitter.com/B64T38d7rt — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 27, 2024

Gandhinagar: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્ત્વનો નિર્ણય : હવે નાપાસ થવાનો ડર નહીં રહે,

Image
  Gandhinagar: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્ત્વનો નિર્ણય : હવે નાપાસ થવાનો ડર નહીં રહે,

Tapi news: નવનિયુક્ત સુરત રેન્જ આઇજીપી પ્રેમવીરસિંઘે તાપી જિલ્લાની મુલાકાત લીધી|ગુજરાત ગાર્ડિયન

Image
               Tapi news: નવનિયુક્ત સુરત રેન્જ આઇજીપી પ્રેમવીરસિંઘે તાપી જિલ્લાની મુલાકાત લીધી|ગુજરાત ગાર્ડિયન  તાજેતરમાં નિમણૂક પામ્યા બાદ પ્રથમવાર સુરત રેન્જ આઇ.જી.પી. પ્રેમવીરસિંઘ (IPS)એ ગુરુવારે તાપી જીલ્લાની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલા નિઝર પોલીસ મથકની મુલાકાત લીધી હતી. ત્યારબાદ વાંકા ચાર રસ્તા ખાતે આંતરરાજય ચેકપોસ્ટની મુલાકાત લઇ પોલીસ કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. આગામી લોકસભા ચુંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મહારાષ્ટ્ર રાજયની હદને અડીને આવેલા તાપી જિલ્લા ખાતે વિવિધ પ્રકારની ચૂંટણીલક્ષી કામગીરી બાબતે પોલીસ અધિક્ષકની કચેરી ખાતે મીટીંગનું આયોજન કરી જિલ્લાના તમામ અધિકારીઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપી હતી. તાપી જિલ્લાની પ્રથમવાર મુલાકાતે આવેલા સુરત રેન્જ આઇ.જી.પી. પ્રેમવીરસિંઘ (IPS) ને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

Navsari News : નવસારી જિલ્લાની વિવિધ શાળાઓ દ્વારા મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમ યોજાયા.

Navsari News : નવસારી જિલ્લાની વિવિધ શાળાઓ દ્વારા મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમ યોજાયા. લો. સા. ચૂં. ૨૦૨૪ અંતર્ગત વાણીયા મીલ હાઈસ્કુલ આંતલિયાના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ગામના વિવિધ સ્થળો તથા દુકાનોમાં મુલાકાત કરી આગામી તા. ૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધું મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમો કર્યા. pic.twitter.com/r56ki2NQNA — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 26, 2024 લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે શ્રી દા.એ.ઈટાલીયા, સાર્વજનિક હાઈસ્કુલ, ચીખલીના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ચીખલીના બજાર વિસ્તારમાં વિવિધ દુકાનોએ મુલાકાત કરી તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરાયા. pic.twitter.com/z4Uw8VPZ6K — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 26, 2024 લો.સા.ચૂં. ૨૦૨૪ અન્વયે શ્રી બી.કે. પટેલ સાર્વજનિક હાઈસ્કુલ ગોંયદી, ભાઠલાના શિક્ષકો તથા અગ્રણી ગ્રામજનો દ્વારા વિવિધ સ્થળોએ મુલાકાત કરી તા ૦૭ મે ૨૦૨૪ ના દિને મતદાન કરવા માટે મતદાન જાગૃતિ કાર્યક્રમો કરા

Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.

Image
Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.   આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી - 2024માં નવસારી જિલ્લાના મતદારોને મતદાન કરવા ખાસ અપીલ. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote #EveryVoteMatters #EveryVoteCounts #NoVoterToBeLeftBehind @CEOGujarat @ECISVEEP pic.twitter.com/qiQVexsrS8 — Collector & DM Navsari (@CollectorNav) April 24, 2024

Gandevi news : બીલીમોરા વાઘરેચ બુનિયાદી શાળાના શિક્ષિકા કીર્તિ પટેલને ‘ઈન્સ્પાયરીંગ વુમન એવોર્ડ' એનાયત કરાયો.

Image
                  Gandevi news : બીલીમોરા વાઘરેચ બુનિયાદી શાળાના શિક્ષિકા કીર્તિ પટેલને ‘ઈન્સ્પાયરીંગ વુમન એવોર્ડ' એનાયત કરાયો.

Navsari news : નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મતદાન જાગૃતિ હેતુ રંગોળી દોરવામાં આવી.

Image
                                       Navsari news : નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મતદાન જાગૃતિ હેતુ રંગોળી દોરવામાં આવી. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે તાજેતરમાં નવસારી જિલ્લાના શિક્ષણાધિકારીની કચેરી ખાતે મતદાન જાગૃતિ અંગે રંગોળી દોરવામાં આવી હતી. તાલુકા પંચાયત કચેરી સહિત શિક્ષણાધિકારીની કચેરીએ વિવિધ કામ માટે આવતા નાગરિકોને રંગોળી દ્વારા મતદાન કરવા અંગે સંદેશો પાઠવવામાં આવ્યો હતો. Credit :  વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી

ગુજરાતનું ભૂપૃષ્ઠ|Geography of Gujarat

Image
             ગુજરાતનું ભૂપૃષ્ઠ| Geography of Gujarat પ્રાચીન સમયમાં ગુજરાતના વિવિધ ભાગો નીચેનાં નામે ઓળખાતા : (1) ‘આનર્ત‘ : તળગુજરાતનો ઉત્તરનો ભાગ (2) ‘લાટ‘ : હાલના ગુજરાતનો મધ્ય અને દક્ષિણનો ભાગ (3) ‘સુરાષ્ટ્ર‘ : હાલના સૌરાષ્ટ્રનો દ્વિપકલ્પીય ભાગ ભૂપૃષ્ઠ : ભૂપૃષ્ઠની ર્દષ્ટિએ ગુજરાતના ચાર વિભાગો છે : (1) ગુજરાતનો દરિયાકિનારો તથા રણવિસ્તાર (2) ગુજરાતનાં મેદાનો (3) સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ અને (4) ગુજરાતના ડુંગરાળ પ્રદેશો. (1) ગુજરાતનો દરિયાકિનારો તથા રણવિસ્તાર : દરિયાકિનારો : ભારતના કુલ દરિયા-કિનારાનો આશરે ત્રીજો ભાગ ગુજરાત ધરાવે છે. દમણગંગા અને તાપી વચ્ચેનો દરિયાકિનારો કાદવકીચડનો બનેલો છે. ‘સુવાલીની ટેકરીઓ‘ને નામે ઓળખાતો તાપીનો ઉત્તર કિનારો રેતાળ ટેકરીઓનો બનેલો છે. તાપીથી ખંભાત સુધીનો કિનારો ખાંચાખૂંચીવાળો છે. ખંભાતના અખાતમાં અલિયાબેટ અને પીરમ બેટ છે. ભાવનગર નજીક સુલતાનપુર અને જેગરી બેટ છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કિનારે દીવ, સિયાલ અને સવાઈ બેટ છે. સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે બેટ દ્વારકા, નોરા બેટ અને ભેડા બેટ છે. બેટ દ્વારકાથી કચ્છના નાના રણ સુધીનો કિનારો ખાંચાખૂંચીવાળો અને ક્ષારીય કાદવીકીચડવ

IIT રૂરકીના પ્રો. સુનિલ બાજપાઈ અને દેબાજીત દત્તાએ ગુજરાતના કચ્છમાં 47-મિલિયન વર્ષ જૂની સાપની પ્રજાતિ વાસુકી ઈન્ડીકસની શોધ કરી.

IIT રૂરકીના પ્રો. સુનિલ બાજપાઈ અને દેબાજીત દત્તાએ ગુજરાતના કચ્છમાં 47-મિલિયન વર્ષ જૂની સાપની પ્રજાતિ વાસુકી ઈન્ડીકસની શોધ કરી. IIT Roorkee's Prof. Sunil Bajpai & Debajit Datta discovered Vasuki Indicus, a 47-million-year-old snake species in Kutch, Gujarat. Estimated at 11-15 meters, this extinct snake sheds light on India's prehistoric biodiversity. Published in Scientific Reports. #SnakeDiscovery pic.twitter.com/ruLsfgPQCc — IIT Roorkee (@iitroorkee) April 18, 2024 વિગતવાર અહેવાલ જોવા અહીં ક્લિક કરો. 

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ.

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ.             આઝાદીના જંગનો આદિવાસી રંગ                  ભારતીય સ્વતંત્રતા આંદોલન વિશ્વના આઝાદીના ઈતિહાસોમાં અજોડ સ્થાન ધરાવે છે .આપણો આઝાદીનો જંગ ૧૮૫૭ થી શરુ થયો અને ૧૯૪૭મા સંપન્ન થયો .ભારતીય સ્વતંત્રતા આંદોલનની આ ૯૦ વર્ષની યાત્રા વિવિધરંગી રહી છે .સત્તાવનના સંગ્રામકારીઓ કરો ય મરોની ભાવનાથી અંગ્રેજો સામે ઝઝૂમ્યા હતા તો  થોભો અને રાહ જુઓની નીતિવાળો  મવાળવાદ ,વિચારોમાં ઉગ્રતા લાવવાના ખ્યાલવાળો જહાલવાદ અને યે શિર જાવે તો જાવે પર આઝાદી ઘર આવેની ગતિવિધિઓવાળી  ક્રાંતિકારી વિચારધારા પણ ભારતીય આઝાદીપ્રાપ્તિના મહત્વપૂર્ણ મુકામો રહ્યા છે .               ભારતીય સ્વતંત્રતા સંગ્રામ એ ભારતીય જનતાની સહિયારી અસ્ક્યામત છે .તેમાં કોઈ એક વર્ગ વિશેષ કે માત્ર નગરો - શહેરો પોતાનો હક દાવો કરી શકે તેમ નથી .શહેરો થી લઇ ગામડાઓ અને ભદ્ર વર્ગોથી લઇ દલિત - પીડિતોએ રાષ્ટ્રની આઝાદી કાજે પોતાની યથાશક્તિ આહુતિ આપી હતી એમાંનો એક મહત્વનો વર્ગ ભારતનો આદિવાસી સમાજ હતો .ભારતીય સ્વતત્રતા સંગ્રામ દેખીતી રીતે ભલે ૧૮૫૭મા શરુ થયો હોય પણ આદિવાસીઓના સ્

ગોંડલ નરેશ ભગવતસિંહ, ભગા બાપુ : gonadal Naresh bhagavatsinh, bhaga bapu

 ગોંડલ નરેશ ભગવતસિંહ, ભગા બાપુ : gonadal Naresh bhagavatsinh, bhaga bapu          ગોંડલનરેશ ભગવતસિંહ ( ૧૮૬૫ -૧૯૪૪ )         સાંસ્થાનિક ગુજરાતના કેટલાક શાસકોનું આજે ય પ્રજા આદરપૂર્વક સ્મરણ કરે છે તે  પૈકીના એક ગોંડલનરેશ ભગવતસિંહ સંગ્રામસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે .          ધોરાજીમાં જન્મેલા ભગવતસિંહ માત્ર ૪ વર્ષની વયે ગોંડલના બાળરાજા બન્યા હતા ,તેજસ્વી શેક્ષણિક કારકિર્દી ધરાવતા ભગવતસિંહના હાથમાં ૧૮૮૪મા ગોંડલ રાજ્યના સત્તાના સુત્રો આવ્યા  ત્યારથી લઇ લાગલગાટ ૭૫ વર્ષ સુધી ગોંડલ રાજ્યનું નેતૃત્વ કર્યું હતું ,જે કદાચ ભારતના વહીવટી ઇતિહાસમાં કીર્તિમાન હોઈ શકે !           પોણી સદીના શાસનકાળમાં ભગવતસિંહે "સર્વજન હિતાય ,સર્વજન સુખાય :" નો આદર્શ ચરિતાર્થ કર્યો હતો .તેમના માટે કહેવાતું કે બીજા દેશી રાજ્યો કયો નવો કર નાંખવો તેનો વિચાર કરતા રહે છે ત્યારે ગોંડલ રાજ્ય કયો કર રદ કરવો તે વિષે વિચારતું હતું .            ભગવતસિંહ રાજ્યના કિસાનોને " સોનાના ઝાડ" કહેતા હતા .કૃષિ ઉપરાંત શિક્ષણ ,બાંધકામો ,બાગ-બગીચાઓનું નિર્માણ ,રેલ્વે લાઈન અને વાહનવ્યવહાર વગેરે દિશામાં તેમના શાસનમાં અભૂત

સયાજીરાવ ગાયકવાડ |sayajirau gayakvad

 સયાજીરાવ ગાયકવાડ |sayajirau gayakvad          સર્વજન હિતાય સર્વજન હિતાય         સયાજીરાવ ગાયકવાડ (૧૮૬૩ ..૧૯૩૯)          ડોક્ટર સુમંત મહેતા એ કહ્યું હતું કે "સ્વામી દયાનંદ સરસ્વતી અને મહાત્મા ગાંધી સાથે ભાવિ ભારત એક ત્રીજું નામ પણ સ્મરશે અને તે સયાજીરાવ ગાયકવાડનું " આ વાત તેઓએ મહારાજા સયાજીરાવની સર્વજન હિતાય સર્વજન સુખાયની રાજનીતિને મદ્દેનજર રાખી કહી હતી.           રજવાડી ભારતમાં કોઈ શાસક ન કરી શકે તેવી પ્રજાકલ્યાણકારી પ્રવુતિઓ મહારાજાએ કરી હતી.મહિલા,દલિત, આદિવાસી શિક્ષણની બાબત હોય,વિજ્ઞાન અને ટેકનોલોજીને ઉત્તેજન આપવાની વાત હોય, જૂનાં બંધનોને તોડવાનો મુદૃો હોય સાંસ્થાનિક ભારતમાં પહેલ સયાજીરાવની રહી હતી.         તેમનો જન્મ ગોપાળરાવ તરીકે મહારાષ્ટ્રના માલેગાંવ પાસે કવલાણેમાં થયો હતો.૧૮૭૫માં દત્તક પુત્ર તરીકે વડોદરાના બાળરાજા થયાં. ૧૮૮૧માં  વાસ્તવિક રીતે સત્તાના સૂત્રો સંભાળ્યા. ગાયકવાડો માટે "જીન ઘર જીન તખ્ત" કહેવાતું હતું ત્યારે ભારતીય અને પાશ્ચાત્ય શાસન વ્યવસ્થાનો  સુમેળ કરી લાગલગાટ ૬૪ વર્ષ સુધી વડોદરામાં શાસન કર્યું. રાજધર્મ કોને કહેવાય તેની ઉત્તમોત્તમ મિશાલો પેશ ક

દિવ્યાંગજન માટે અને તેમના જ દ્વારા અવશ્ય મતદાન કરવાની ઓડિયો વિઝ્યુઅલ અપીલ.

            દિવ્યાંગજન માટે અને તેમના જ દ્વારા અવશ્ય મતદાન કરવાની ઓડિયો વિઝ્યુઅલ અપીલ. દિવ્યાંગજન માટે અને તેમના જ દ્વારા અવશ્ય મતદાન કરવાની ઓડિયો વિઝ્યુઅલ અપીલ  #pwdvoters   #sakshamapp   #accessibleelections   #IVoteforSure   #MeraVoteDeshkeliye   #ChunavKaParv   #DeshKaGarv   #Election2024   #EveryVoteCounts   #DemocracyMatters   #VotingRights   #VoiceYourChoice   pic.twitter.com/Stc82Zr5qM — Chief Electoral Officer, Gujarat (@CEOGujarat)  April 14, 2024

UPSC સિવિલ સર્વિસ પરીક્ષાના ટોપર્સની પહેલી પસંદ IAS અને IFS.

Image
       UPSC સિવિલ સર્વિસ પરીક્ષાના ટોપર્સની પહેલી પસંદ IAS અને IFS. ,

ઇતિહાસ ચાંપાનેર |History of chanpaner

 ઇતિહાસ ચાંપાનેર |History of chanpaner  ઇતિહાસ ચાંપાનેર શહેરની આસપાસ વણાયેલો છે. વલ્લભીનો શિલાદીત્ય 5 માના સંવત 404-441( ઇ.સ.348-385)ના તામ્ર લેખમાં ગોધરા હક એટલે હાલના ગોધરા ખાતે નંખાયેલી વિજય છાવણીનો ઉલ્લેખ છે. અણહીલવાડના પ્રથમ રાજ્યકર્તા વનરાજના રાજ્યકાળ દરમ્યાન સાતમી સદીમાં( ઇ.સ.647માં) ચાંપાનેરની સ્થાપના થઇ હોવાનું કહેવાય છે. તેરમી સદીના અંતમાં (1297માં) અલાઉદ્દીન ખીલજીની સરદારી હેઠળના મુસલમાનો ખીચીવાડાથી પાછા હઠતા, ચૌહાણો આ દેશના રાજ્યકર્તા બન્યાં.સને 1484માં મહંમદ બૈગડાએ ચાંપાનેર જીતી લીધું. ત્યાં સુધી ચૌહાણોની સત્તા ચાલુ રહી હતી. મિરત-એ-સીકંદરી( ઇ.સ.1611)ના લેખકે આ પ્રદેશના ફળોની મુક્તકંઠે પ્રશંસા કરી છે. આખી સલ્નતમાં આપણા દેશની કેરી સર્વશ્રેષ્ઠ ગણી છે. ઘર બાંધવામાં વાપરી શકાય એટલો ચંદનના લાકડાનો જથ્થો હોવાનું જણાવ્યું છે. મોગલ શહેનશાહના અમલ દરમ્યાન (ઇ.સ.1573-1727) ગોધરાએ જીલ્લાનું મુખ્ય મથક બન્યુ. વોટસને ગુજરાતના ઇતિહાસમાં જણાવ્યું મુજબ 17મી સદીમાં તેનો જંગલી હાથીઓના શિકારના પ્રદેશ તરીકેનો ઉલ્લેખ છેસને 1727માં કાંન્તાજી કદમ બાંડેના પાલક પુત્ર કૃષ્ણાજીએ ચાંપાનેર પર હુમલો કર્યો

ઈતિહાસ તાનારીરી મહોત્સવ :-

 ઈતિહાસ તાનારીરી મહોત્સવ :-                            એક લોકવાયકા મુજબ નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈ અને કુંવરબાઇની શમિૅષ્ટા . શમિૅષ્ટાની બે પુત્રીઓ તાના અને રીરી. જે વડનગરમાં રહેતી હતી. -> એક સુપ્રસિદ્ધ ઘટનાને કારણે તાના-રીરી નું નામ સંગીતના ઇતિહાસમાં અમર કયુૅ છે. ઈતિહાસ:-            અકબરની શાહજાદી(રાણી)એ એકવાર મિયાં તાનસેન પાસેથી દીપક રાગ સાંભળવાની હઠ કરી. તાનસેને આનાકાની કરી અને કહ્યું. દીપક રાગ ગાવાથી ગાયકના શરીરમાં દાહ(અગ્નિ) થાય છે. તેનું શમન મલ્હાર રાગથી જ થઈ શકે. પરંતુ શાહજાદી(રાણી)ની હઠ સામે તાનસેને છેવટે દિપક રાગ ગાયો કરો. પરંતુ તેના શરીરમાં દાહ પ્રગટ્યો. -> તાનસેન મલ્હાર રાગ ગાઇ શકે એવી ગાયકની શોધમાં આગ્રાથી પ્રયાણ કરી વડનગર આવી પહોંચ્યો.( તે સમયે વડનગર શાસ્ત્રીય સંગીત અને અન્ય કળાના ક્ષેત્રે વડનગર ઊંચી પ્રતિષ્ઠા ધરાવતું હતું ‌) -> તાનસેન વડનગરના શમિૅષ્ટાતળાવ પર ગયો. તે વખતે તાના-રીરી ત્યાં પાણી ભરવા ગયેલી ત્યારે તાનસેને જોઈને બંને બહેનો સમજી ગઈ કે દીપક રાગથી પીડાઈ રહ્યો છે. આ વાત ઘરે જઇને તેમને પિતાને કહી. તાનારીરીના પિતા તાનસેને મળ્યા. તેની કથની સાંભળી દુઃખી થાય

વોટ્સએપ ગૃપના 570 સભ્યો 100-100 રૂપિયાનું અનુદાન આપી જરૂરિયાતમંદોને પહોંચાડે છે લાખોની મેડિકલ સહાય.

Image
      વોટ્સએપ ગૃપના 570 સભ્યો 100-100 રૂપિયાનું અનુદાન આપી જરૂરિયાતમંદોને પહોંચાડે છે લાખોની મેડિકલ સહાય.  માહ્યાવંશી મેડિકલ સહાય ગૃપ મુંબઈથી અમદાવાદ સુધીના દર્દીઓને અત્યાર સુધીમાં 8.33 લાખની સહાય કરી ચૂક્યું છે વોટ્સએપ ગૃપના 570 સભ્યો 100-100 રૂપિયાનું અનુદાન આપી જરૂરિયાતમંદોને પહોંચાડે છે લાખોની મેડિકલ સહાય પરિવારમાં જયારે ગંભીર બીમારી આવી પડે ત્યારે ભલભલાની હાલત કફોડી થઈ જતી હોય છે. આવા પરિવારોને આર્થિક રીતે મદદરૂપ થઈ શકાય એ માટે માહ્યાવંશી સમાજ દ્વારા સોશ્યલ મીડિયા વોટ્સએપનો સહારો લઈ એક ગૃપ બનાવી તેના થકી દર્દીના પરિવારને મદદ કરવાની અનોખી પહેલ કરાઇ છે. આર્થિક ભારણ વગર સહાય કર્યાનો સંતોષ થાય તે માટે ગૃપના સભ્ય દીઠ માત્ર 100 રૂપિયા રકમ નક્કી કરવામાં આવી છે. ટીપે ટીપે સરોવર ભરાય તે ઉક્તિને સાર્થક ઠેરવી આ નાનકડા પ્રયાસથી સમાજ દ્વારા અત્યાર સુધીમાં સમાજના 39 દર્દીઓને 8.33 લાખથી વધુની સહાય કરી ચુક્યું છે. માહ્યાવંશી મેડિકલ સહાયના નામથી ચાલતા આ ગૃપના સંચાલક ઉમરગામના પંકજ પુનેટકર જણાવે છે કે, 22-4-2022ના રોજ આ ગૃપ કાર્યરત કર્યું. હાલમાં અમારા આ ગપમાં 570 સભ્યો કાર્યરત છે. સહાય સીધી દર્દીના